મંગળવાર, 25 ઑગસ્ટ, 2009

બચાવે છે મને !

સમયના વ્હેણમાં કેવો વહાવે છે મને,
ડૂબાડે તો કદી સરસર તરાવે છે મને.

પ્રથમ કો’ અટપટા માર્ગે ફસાવે છે મને,

પછી મોઘમ ઇશારાથી બચાવે છે મને !

નથી કોઈ ખબર એનાં રહસ્યોની મને,

નહીં તો ખાસ અંગતમાં ગણાવે છે મને !

ફરક બસ એટલો કે અન્યને દેખાય નહિ,

અરીસા જેમ પોતામાં છુપાવે છે મને !

નહીં તો કેમ એને હું મળું ક્યારેય પણ ?

ભીતર જોજનનાં જોજન ચલાવે છે મને !

અમસ્તા કોઈને સૂઝે નહીં શબ્દો ‘સુધીર’,

કૃપા એની ગઝલ કાયમ લખાવે છે મને.
-સુધીર પટેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો